|
ઇસ્લામ અને ઇમાનનો અર્થ
|
|||
|
મુસલમાનોનું ધર્મ પુસ્તક , કુર્આન . કુર્આન ઇશવાણી છે, તે વિશુધ્ધ છે, તેમાં એકેશ્વરવાદ ( તવહીદ) નો સંદેશ છે. અલ્લાહના હુકમો અને નિષેધો છે. માનવીના હકો અને ફરજો છે. નીતિમય જીવનના આદશેો છે. બોધવચનો છે. પાપો અને દુષ્કર્મો કરવા પર ચેતવણી છે. અને સદકસ્મોના બદલાનું વર્ણન છે. કુર્આનમાં ૧૧૪ પકરણો ( સૂરતો ) છે. ૬૬૬૬ પંક્તિઓ ( આયતો ) છે. દરેક સૂરતના જુદા જુદા શીર્ષકો છે. દરેક સૂરત બિસ્મિલ્લાહિર્રમાર્રહીમ થી શરૂ થાય છે. તેનો અર્થ છે ; શરૂ કરૂ છુ; અલ્લાહના નામથી ,જે મહા દયાળુ અને કૃપાળુ છે. પહેલી સૂરત ફાતેહા છે. તેમાં અલ્લાહના વખાણ છે. અને પછી સીધા રસ્તે ચાલવા માટેની દુઆ યાચના છે. પૂરી સૂરએ ફાતેહાનો અનુવાદ નીચે પ્રમાણે છેઃ હું બેહદ કૃપાળુ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરૂં છું . સર્વ વખાણ અલ્લાહના માટે જ છે. તે સકળ સૃષ્ટિનો માલિક છે. તે ઘણો કૃપાળુ અને મહાન દયાળુ છે. તે કિયામત (હિસાબ)ના દિવસનો માલિક છે. હે અલ્લાહ અમે તારી જ બંદગી કરીએ છીએ. અને દરેક કાર્યમાં તારી જ મદદ માંગીએ છીએ. હે અલ્લાહ ! તું અમને સીધા માર્ગ ઉપર ચલાવ. કુર્આન શુધ્ધ અરબી ભાષામાં છે. અને અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. કુર્આનની શૈલી અર્ધ ગધ અને અર્ધ પધ જેવી છે. તે અલૌકિક , મધૂર અને લાવણ્યમય છે. તેમાં એક મીઠાશ છે. તેના પઠન ( પઢવા) થી હદયમાં એક અનોખા પકારનો આદરભાવ ઉત્પન્ન થાય છે. ઇસ્લામ શિક્ષણના બે મુખ્ય આધારો કુર્આન અને સુન્ન્ત છે. કુર્આન એટલે અલ્લાહની વાણી. હદીસ એટલે પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાણી. કુર્આનના શબ્દો પણ અલ્લાહના છે. જયારે હદીસ પયગંબર સાહેબના શબ્દોમાં છે. ધર્મ બાબતે કોઇ પણ વાત તેમણે પોતાની મનેચ્છાથી કહી ન હતી. બલકે જે કાંઇ અલ્લાહે દર્શાવ્યું તે જ કહયું. હદીસ કુર્આનનું સ્પષ્ટીકર અને અનુમોદન કરે છે. કુર્આનનો હુકમ છે કે અલ્લાહની તાબેદારી કરો. અને તેના પયગંબરની વાત માનો. |
|||
|
ઇસ્લામના પાંચ મહત્વના ફરજો છે.
|